Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પાકિસ્તાનમાં સગીર બાળકોનું ધર્માંતર ચાલુ રહેશે : ધર્માંતર માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ રાખવાના સૂચનનો ઈમરાન સરકારના મંત્રી નુરુલ હક કાદરીનો ઇન્કાર

ઇસ્લામાબાદ : બળજબરીથી ધર્માન્તર કરાવવા માટે કુખ્યાત દેશ પાકિસ્તાન હજુ પણ સુધરે તેમ લાગતું નથી.સગીર વયના બાળકોના પણ ખુલ્લેઆમ થઇ રહેલા ધર્માંતરને રોકવા માટે ધાર્મિક બાબતોના મિનિસ્ટર નુરુલ હક કાદરી સમક્ષ રજુઆત કરાઈ હતી.જેનો તેમને ઇન્કાર કર્યો છે.

કાદરીએ જણાવ્યું છે કે ધર્માંતર સ્વૈચ્છિક બાબત છે.તેના ઉપર ઉંમરનો બાધ લગાવી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે આ મિનિસ્ટર દેશની અલ્પ સંખ્યક વસતિના અધિકારો માટે રચવામાં આવેલી કમિટીના પણ સભ્ય છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:07 pm IST)