Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

''ખુદા કે ઘર દેર હૈ, અંધેર નહી'': ૧૯૮૬ની સાલમાં હથોડાના ઘા મારી એક વ્યકિતની હત્યા કરનાર ભારતીય મૂળના નાગરિકને સિંગાપોરમાં કારાવાસઃ ગુનો કબુલી લીધો

સિંગાપોરઃ ૧૯૮૬ની સાલમાં એક વ્યકિતની હથોડા મારી હત્યા કરવાના આરોપસર ભારતીય મૂળના મલેશીઆના નાગરિક ૬૧ વર્ષીય અરૂમુગમ વીરાસામીને સિંગાપોર કોર્ટએ ૮ વર્ષ અને ૬ માસની જેલસજા ફરમાવી છે. તેણે પોતાનો ગૂનો કબુલ કરી લીધો હતો. તે વર્ષો સુધી નાસતો ફરતો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)