Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

18મી જૂને મંગળવારે અમેરિકાના કનેકટિકટમાં લાઈફ ગ્લોબલના ઉપક્રમે ફ્રી માઈન્ડ પાવર સેમિનાર : વિખ્યાત વક્તા ડો. જીતેન્દ્ર અઢીયા પ્રવચન આપશે : ડો. પ્રદીપ કણસાગરા અને ડો. અરુણ પાલખીવાલા યોગ વિશે આપશે માર્ગદર્શન

દિપ્તીબેન જાની દ્વારા  - ન્યૂજર્સી : લાઈફ ગ્લોબલના ઉપક્રમે આગામી મંગળવારે તા;18મી જૂનના સાંજના 6 વાગ્યે ' વલ્લભઘામ ' ( હવેલી )કનેક્ટીકટ રાજ્યમાં એક શાનદાર સેમિનારનું આયોજન થયું છે જેમાં વિખ્યાત ડો. જીતેન્દ્રભાઈ અઢીયા માર્ગદર્શન -પ્રવચન આપશે .

શ્રી ઋષિકેશ પંડ્યા - પ્રોજેક્ટ લાઈફ ઇન્ડિયા વિશે માર્ગદર્શન આપશે. સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરિકા,વલ્લભધામ ટેમ્પલ (હવેલી )ગુજરાતી એસો. ઓફ કનેક્ટીકટ અને ઇન્ડિયા એસોસિયેશનના ઉપક્રમે યોજયેલ આ કાર્યક્રમમાં ભાગ લેવા તા,16 જૂન રવિવાર સુધીમાં RSVP કરી દેવાનું રહેશે. એન્ટ્રી તદ્દન ફ્રી છે.

શ્રી રાજીવભાઈ દેસાઈ ( 860-796-2162) શ્રી ભીમા રણમલ ( 203-561-3650 ) પૂર્ણિમા શાહ ( 508-494-4024 ) ભાસ્કર સુરેજા ( 860-798 -2886 ) નો સંપર્ક કાર્યક્રમની વિસ્તૃત વિગત માટે કરી શકાય છે એમ શ્રી ભાસ્કરભાઈ સુરેજાની યાદીમાં જણાવાયું છે.

  કાર્યક્રમ બરોબર 6-00 વાગ્યે ( સાંજના ) શરૂ થશે અને  ત્યારબાદ ડિનરની વ્યવસ્થા કરાયેલ છે.

(10:55 pm IST)