Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

‘‘અશ્વમેઘ યજ્ઞ સિલ્‍વર જયુબેલી ઉત્‍સવ'': યુ.એસ.માં ગાયત્રી ચેતના સેન્‍ટર એનાહાઇમ કેલિફોર્નિયા મુકામે ઓલ વર્લ્‍ડ ગાયત્રી પરિવારના ઉપક્રમે ૧૩ થી ૧૬ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન થનારી ઉજવણી

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ગાયત્રી ચેતના સેન્‍ટર ૨૪૪૬ વેસ્‍ટ ઓરેન્‍જ એવન્‍યુ એના હાઇમ કેલિફોર્નિયા ખાતે ૧૩ સપ્‍ટેં.થી ૧૬ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન ‘‘અશ્વમેઘ મહાયજ્ઞ'' સિલ્‍વર જયુબેલી ઉત્‍સવ ઉજવાશે. ૧૯૯૩ની સાલથી શરૂ થયેલા આ યજ્ઞના ૨૫મા વર્ષની ઉજવણી ઓલ વર્લ્‍ડ ગાયત્રી પરિવારના પ્રેસિડન્‍ટ ડો.પ્રણવ પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને થશે. જે પ્રસંગે ડો.ચિન્‍મય પંડયા તથા શાંતિકુંજ હરિદ્વારના સંતો હાજરી આપશે.

૧૩ થી ૧૬ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન યોજાનારો આ અશ્વમેઘ મહાયજ્ઞ દરરોજ ૧૨ વાગ્‍યાથી શરૂ થઇ આખો દિવસ ચાલુ રહેશે. વિશેષ માહિતી માટે કોન્‍ટેકટ નં.(૭૧૪)૨૨૦-૨૧૧૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(11:11 pm IST)