Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

શિકાગોના સતકૈવલ જ્ઞાન મંદિરમાં આચાર્યશ્રી અવિચલદાસજી મહારાજની થનારી પધરામણીઃ ઓગષ્‍ટ માસની ૧૯મી તારીખને રવીવારે બપોરે ૩ વાગ્‍યાથી વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવેલુ આયોજનઃ ગુરૂજીની સાથે સાધ્‍વી પૂજય ગીતા દીદી તથા મહામંડલેશ્વર પૂજય જનાર્દન મહારાજ (મહારાષ્‍ટ્ર) પણ ઉપસ્‍થિત રહેશેઃ સૌ હરિભક્‍તોને આ પાવન પ્રસંગોનો લાભ લેવા સંચાલકોની આગ્રહ ભરી વિનંતી

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગો નજીક કેરોલસ્‍ટ્રીમ ટાઉનના કાઉન્‍ટી ફાર્મ રોડ અને લાઇઝ રોડના કોસીંગ નજીક સતકૈવલ જ્ઞાન મંદિર આવેલ છે અને તેના સંચાલકોએ ઓગષ્‍ટ માસની ૧૯મી તારીખને રવીવારે બપોરે ત્રણ વાગ્‍યાથી વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

આ પ્રસંગે આચાર્યશ્રી અવિચલદાસજી મહારાજ ખાસ શિકાગો પધારનાર છે અને તેમની નિશ્રામાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવનાર છે આ વેળા પરમવિદુષી સાધ્‍વી પૂ.ગીતાદીદી તેમજ મહામંડલેશ્વર પૂજય જનાર્દન મહારાજ (મહારાષ્‍ટ્ર)ની પણ પાવન ઉપસ્‍થિત રહેશે. આ વેળા બપોરે ત્રણ વાગ્‍યે ભજન કિર્તનનો કાર્યક્રમ યોજવામાં આવશે તથા ચાર વાગ્‍યા પછી સત્‍સંગ પ્રોગ્રામ તેમજ ધાર્મિક પ્રવચનો યોજાશે તો સર્વે હરિભકતોને આ દિવ્‍ય પ્રસંગોનો લાભ લેવા સંચાલક મંડળના વ્‍યવસ્‍થાપકોની આગ્રહભરી વિનંતી છે. આ અંગેની સંપૂર્ણ માહિતી મંદિરના ફોન નંબર ૬૩૦-૨૨૧-૮૦૦૭ દ્વારા મળી રહેશે.

(10:59 pm IST)