Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કેરળના મલયાલી પ્રજાજનોની વહારે NRI બિઝનેસમેન શ્રી રવિ પિલ્લાઈ : કોવિદ -19 નો ભોગ બનેલા પરિવારો માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યા

બહેરીન : કોવિદ -19 નો ભોગ બનેલા કેરળના મલયાલી પ્રજાજનો માટે  NRI  બિઝનેસમેન શ્રી રવિ પિલ્લાઈએ તેમના આર.પી. ફાઉન્ડેશન દ્વારા 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે  પૈકી 5 કરોડ રૂપિયા  કોવિદ -19 નો ભોગ બનવાથી માતા પિતા કે વાલી ગુમાવનાર અનાથ બાળકો માટે વપરાશે .તથા 10 કરોડ રૂપિયા જરૂરિયાતમંદ મલયાલી પરિવારો માટે વપરાશે .જેઓને મેડિકલ સારવાર ,પુત્રીના લગ્ન ,વિધવા મહિલાઓને નિર્વાહ ,સહિતની બાબતો માટે વપરાશે

આ રકમ તેઓએ કેરલના ચીફ મિનિસ્ટરને મોકલી આપી છે.ઉપરાંત શ્રી પિલ્લાઈએ કેરળમાં કોવિદ -19 ની વિનામૂલ્યે સારવાર માટે 250 બેડની હોસ્પિટલ પણ સ્થાનિક સ્કૂલમાં શરૂ કરાવી છે.તેવું ટી.ઓ.ઈ.દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)