Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

''બૈશાખી ઉત્સવ ૨૦૧૯'': યુ.એસ.માં લોસ એન્જલસ મુકામે ગુરૂ રામદાસ આશ્રમના ઉપક્રમે ૧૪ એપ્રિલના રોજ થનારી ઉજવણીઃ કિર્તન દરબાર, પરેડ, સહિતના આયોજનો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં લોસ એન્જલસ કેલિફોર્નિયા મુકામે આવેલા કન્વેન્શન સેન્ટરમાં ૧૪ એપ્રિલ ૨૦૧૯ રવિવારના રોજ બૈશાખી ઉત્સવ ઉજવાશે.

ગુરૂ રામદાસ આશ્રમ ૧૬૨૦, પ્રેસ રોડ, લોસ એન્જલસ મુકામે થનારી ઉજવણી અંતર્ગત સવારે ૩.૩૦ કલાકની અમૃત વેળાથી ઉજવણી શરૂ થઇ જશે. બાદમાં કન્વેન્શન સેન્ટર ખાતે સવારે સાત કલાકે કિર્તન દરબાર પ્રોગ્રામ યોજાશે.

બાદમાં બપોરે ૩ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમિયાન નગર કિર્તન યોજાશે. તથા પરેડ બાદ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૩ એપ્રિલના રોજ ગુરૂ રામદાસ આશ્રમ ખાતે અમૃત સંચાર યોજાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:22 pm IST)