Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ખાડી દેશોમાં મંજુરી કરવા ગયેલા ભારતીયો માટે ઉચાળા ભરવાની નોબતઃ આફ્રિકા, ફિલીપાઇન્સ તથા નેપાળથી આવતા મજુરો ભારતીયો કરતા અડધા વેતનથી કામ કરવા તૈયાર

દુબઇઃ ખાડી દેશોમાં મજુરી કામ કરતા ભારતીયો માટે ઉચાળા ભરવાનો સમય આવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ દેશોમાં આફ્રિકા, નેપાળ, તથા ફિલીપાઇન્સથી આવી રહેલા મજુરો ભારતીય મજુરો કરતા અડધા વેતનથી કામ કરવા તૈયાર થઇ જતા હોવાથી ભારતીયોની નોકરી છીનવાઇ જવાનો ભય ઊભો થયો છે. જે કેરાળાથી ગયેલા ભારતીયો માટે ફટકા સમાન છે તેવું તિરૃવન્નતપૂરમ સ્થિત સેન્ટર ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

 

(10:07 pm IST)