Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ગુજરાતના યુવકે થાઇલેન્‍ડની યુવતિ સાથે લગ્ન કર્યાઃ યુવતિનો પરિવાર બૌધ ધર્મ પાળતો હોવાથી બંનેના પરિવારે લગ્ન માટે મંજુરી આપી

અમદાવાદઃ અમદાવાદમાં ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના વ્‍યવસાય સાથે સંકળાયેલા માણસાના યુવાન પ્રવિણકુમાર દશરથભાઇ પ્રજાપતિએ થાઇલેન્‍ડમાં ટુર ટ્રાવેલ્‍સનો વ્‍યવસાય કરતી સિરીદીફા ટ્રાવેલ્‍સ નામક કંપનીની મેનેજીંગ ડીરેકટર યુવતિ સિરીદીફા સાથે હિન્‍દુ લગ્ન વિધિ મુજબ લગ્ન કર્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

થાઇલેન્‍ડ સ્‍થિત સિરીદીફા પરિવાર બૌધ ધર્મ પાવતો હોવાથી હિન્‍દુ સંસ્‍કૃતિ પ્રત્‍યે લગાવ ધરાવે છે ટુર અને ટ્રાવેલ્‍સના ધંધા સાથે સંકળાયેલા આ બન્‍ને યુવક યુવતિ વચ્‍ચે અવાર નવાર મુલાકાત થતી હોવાથી પ્રેમ થયો હતો. તેથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ. એટલું જ નહિ બંનેના પરિવારે પણ આ માટે મંજુરી આપતા માણસા ખાતે આવેલા ગાયત્રી મંદિરમાં લગ્ન વિધિ સંપન્‍ન થઇ હતી.     

(10:10 pm IST)