Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અબુ ધાબીમાં નિર્માણાધીન બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ પડાવ પૂરો : પાયાનું ચણતર પૂરું : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું

અબુધાબી : અબુધાબીમાં નિર્માણાધીન બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ પડાવ પૂરો થયો છે.જે મુજબ પાયાનું કામ પૂરું થઇ ગયું છે.આ પ્રસંગે યુએઈ ખાતેના ભારતના રાજદૂત શ્રી પવન કપૂર ,દુબઇ ખાતેના મહાવાણિજ્ય દૂત શ્રી વિપુલ ,પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ,પૂજ્ય અક્ષયમુનિ સ્વામી ,તેમજ અબુધાબી ખાતેના સરકારી તેમજ રાજકીય આગેવાનો સહીત વિશાળ સંખ્યામાં ભારતીયો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ મંદિરનું ભૂમિ પૂજન 2018 ની સાલમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

(8:02 pm IST)