Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

‘‘ન જાણ્‍યું જાનકીનાથે સવારે શું થવાનું છે'': UAEના પ્રવાસે ગયેલા વડોદરાના દંપતિ વિનોદભાઇ તથા રોહિણીબેનનું કાર અકસ્‍માતે કરૂણ મોતઃ અમેરિકાથી વડોદરા આવેલા કુટુંબીજનો સાથે ગોઠવેલો UAEનો પ્રવાસ મોતને નોતરૂ દેનારો બન્‍યો

વડોદરાઃ અમેરિકાથી વડોદરા ફરવા આવેલા પરિવારજનો સાથે શ્‍ખ્‍ચ્‍ના પ્રવાસમાં ગયેલા વડોદરાના દંપતિ ૪૬ વર્ષીય વિનોદભાઇ કે.પટેલ અને તેમના પત્‍ની ૪૧ વર્ષીય રોહિણીબેન પટેલનું કાર અકસ્‍માતમાં ૧૨ ફેબ્રુ.૨૦૧૯ના રોજ કરૂણ મોત થયું છે.

૮ થી ૧૩ ફેબ્રુ.સુધી ગોઠવાયેલા શ્‍ખ્‍ચ્‍ના પ્રવાસ અંતર્ગત ૧૨ ફેબ્રુ.ના રોજ વડોદરાના ઉપરોક્‍ત દંપતિ ઉપરાંત અમેરિકાથી આવેલા ૨ દંપતિ તથા ર બાળકો ડેઝર્ટ સફારીથી શારજાહ સ્‍થિત હોટલે જવા રાત્રે પરત ફરી રહ્યા હતાં ત્‍યારે કાર ચાલકે કાબુ ગુમાવતા  લ્‍શ્‍સ્‍ કાર અનેકવાર પલ્‍ટી મારી ગઇ હતી. તેથી અંદર બેઠેલા મુસાફરોને તાત્‍કાલિક હોસ્‍પિટલે લઇ જવાયા હતા. જયાં વિનોદભાઇ તથા રોહિણીબેનને મૃતક જાહેર કરાયા હતા. અન્‍ય ઇજાગ્રસ્‍તોને વિશેષ સારવાર માટે અલ કસામી હોસ્‍પિટલે ખસેડાયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:38 pm IST)