Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ભારત અને માલદિવ્‍સ વચ્‍ચેની વીઝા પ્રક્રિયા સરળ બનાવાશેઃ બંને દેશોના પ્રતિનિધિઓ વચ્‍ચે કરારઃ ૧૧ માર્ચ ૨૦૧૯ થી અમલી બનશે

ન્‍યુ દિલ્‍હીઃ ભારત તથા માલદિવ્‍સ વચ્‍ચેના વીઝા સરળ બનાવવા માટેના કરાર ગઇકાલ મંગળવારે બંને દેશોના પ્રતિનિધિઓ દ્વારા કરાયા હતા. જે ૧૭ ડીસેં.૨૦૧૮ના રોજ માલદિવ્‍ય પ્રેસિડન્‍ટ ઇબ્રાહીમ સોલીહએ લીધેલી ભારતની મુલાકાત દરમિયાન નક્કી કરાયેલ યોજના મુજબ ૧૧ માર્ચ ૨૦૧૯ થી અમલી બનાવાશે.

આ બંને દેશો વચ્‍ચે ટુરીઝમ, બીઝનેસ, એજ્‍યુકેશન તથા મેડીકલ સુવિધા સહિતની વીઝા પ્રક્રિયાઓ સરળ બનાવાશે.

ઉલ્લેખનીય છે કે માલદિવ્‍સના પૂર્વ પ્રેસિડન્‍ટ અબદુલ્લા યમીનએ વીઝા પોલીસી કડક બનાવી હતી. જેને વર્તમાન પ્રેસિડન્‍ટ ઇબ્રાહીમ સોલીહએ સરળ બનાવી છે.

(8:36 pm IST)