Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર પાર્લિન, ન્યુજર્સી મુકામે ''શ્રીમદ ભાગવત કથા'' : આવતીકાલ ૯ જુલાઇથી ૧૫ જુલાઇ ૨૦૧૯ દરમિયાન યોજાનારી કથાના વ્યાસાસને પૂ.શ્રી સંજીવ ક્રિશ્ના ઠાકુરજી બિરાજશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર,પાર્લિન, ન્યુજર્સી મુકામે ૯ જુલાઇ મંગળવારથી ૧૫ જુલાઇ ૨૦૧૯ સોમવાર દરમિયાન ''શ્રીમદ ભાગવત  કથા'' તથા મનોરથોનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત કથાના વ્યાસાસને પૂ.શ્રી સંજીવ ક્રિશ્ના ઠાકુરજી બિરાજી કથામૃતનું રસપાન કરાવશે જેનો  સમય સાંજે ૫-૩૦  થી ૭-૩૦નો રાખવામાં આવ્યો છે. દરરોજ પ્રવચન બાદ સર્વે વૈશ્નવો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. મનોરથી થવા તથા  વધુ માહિતી માટે મંદિરના કાર્યાલયનો કોન્ટેક નં.૭૩૨-૨૫૪-૦૦૬૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તથા દરેક વૈશ્નવોને સપરિવાર મિત્રમંડળ સાથે કાર્યક્રમોનો  લાભ લેવા આગ્રહ કરાયો છે.

(8:21 pm IST)