Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોના વાઇરસને હળવાશથી ન લેશો : પશ્ચિમ બંગાળની ભીડભાડવાળી જગ્યાઓમાં મોતનુ તાંડવ સર્જી શકે છે : ઇન્ડિયન અમેરિકન ડોક્ટરે મમતા બેનરજીને પત્ર લખી ચેતવ્યા

કોલકત્તા : અમેરિકા સ્થિત  હ્રદય રોગ નિષ્ણાત ભારતીય મૂળના ડોક્ટર ઇન્દ્રનીલ બસુ રે એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો છે.જેમાં તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે કોરોના વાઇરસને હળવાશથી ન લેશો , આ વાઇરસ પશ્ચિમ બંગાળની ભીડભાડવાળી જગ્યાઓમાં મોતનુ તાંડવ સર્જી શકે છે.
તેમણે ઉમેર્યું છે કે અન્ય દેશોની  સરખામણીમાં ભારત દેશ ભાગ્યશાળી છે.કે જ્યાં કોરોના વાઇરસનું પ્રમાણ ઓછું છે.તેમછતાં કોરોના વાઇરસથી થતા મોતને રોકવા તમામ પગલાંઓ લેવા જરૂરી છે.નહીંતર તે કિલિંગ મશીન પુરવાર થઇ શકે છે.

(7:28 pm IST)