Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સદગત શ્રી સુરેશભાઇ જાનીને યોગી ડિવાઇન સોસાયટી ઓફ ન્યુજર્ર્સી ઇન્કની શ્રધ્ધાંજલી : સદગતના આત્માની શાંતિ માટે તથા પરિવારજનોને આઘાત જીરવવાની શક્તિ આપવા ભગવાનશ્રી સ્વામીનારાયણ તથા પૂજ્યશ્રી હરિપ્રસાદ સ્વામીના ચરણકમળમાં પ્રાર્થના

          Ofbjp ના ફાઉન્ડર પ્રેસિડન્ટ તથા કોમ્યુનીટી અગ્રણી ન્યુજર્ર્સી સ્થિત આત્મીય સ્વજન શ્રી સુરેશભાઇ જાનીની ચિર વિદાયના દુઃખદ સમાચાર જાણી યોગી  ડિવાઇન સોસાયટી ઓફ ન્યુજર્ર્સી ઇન્ક ઉંડા આઘાત તથા દુઃખની લાગણી અનુભવે છે.

તેમણે કોમ્યુનીટી તથા સમાજ માટે આપેલા યોગદાનની ખોટ કયારેય પૂરી શકાશે નહીં. તેમણ્ ો  Ofbjp પ્રેસિડન્ટ તરીકે સંભાવેલી મહત્વની કામગીરી પણ ચિરસ્મરણીય રહેશે. તેમના નિધનથી આશ્વાસન આપવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે.

અમે ભગવાન સ્વામિનારાયણના તથા પૂજયશ્રી હરિપ્રસાદ સ્વામીજીના ચરણકમળમાંં સદગતના પરમ પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. તથા તેમના પરિવાર તથા ચાહકો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની પરમાત્મા શકિત આપે તેવી પ્રાર્થના કરીએ છીએ તેવું યોગી ડિવાઇન સોસાયટી ઓફ ન્યુજર્ર્સી ઇન્ક પ્રેસિડન્ટ શ્રી લલિતભાઇ પટેલની યાદી જણાવે છે.

(1:16 pm IST)