Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીને વિઝા આપવાનો પાકિસ્તાનનો ઇન્કાર : નનકાના સાહેબ ઉપર થયેલા હુમલા વિષે સ્થળ તપાસ કરી લોકોનો અભિપ્રાય જાણવાનો હેતુ હતો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં નનકાના સાહેબ ગુરુદ્વારા ઉપર થયેલા હુમલાની સત્યતા અને હકીકત તપાસી લોકોનો અભિપ્રાય મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન જવા માંગતા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સભ્યોને વિઝા આપવાનો પાકિસ્તાન સરકારે ઇન્કાર કરી દીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રબંધક કમિટીને મળેલા અહેવાલો મુજબ  પાકિસ્તાનના એક જૂથે ગુરુદ્વારાની જગ્યાએ મસ્જિદ બનાવવા એલાન કર્યું હતું આ બાબતે સ્થળ તપાસ કરવાની ગણતરીથી વિઝા માગ્યા હતા જેનો ઇન્કાર કરતા ફરીથી વિઝાની માંગણી કરીશું તેવું કમિટીના સભ્યોએ જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:11 pm IST)