Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અમેરિકામાં 30 વર્ષથી સ્થાયી આણંદના અશ્વિન પટેલની લૂંટના ઇરાદે હત્યા

અમેરિકાના બ્લેકવિલમાં સ્ટોર ધરાવતાં વિદ્યાનગરના રહીશ પર ગોળીબાર કરીને હત્યા કરીને લૂંટ

આણંદ :અમેરિકામાં ગુજરાતી (NRG) ઓની હત્યાનો સિલસિલો યથાવત છે.વધુ એક ગુજરાતીની અમેરિકામાં લૂંટના ઈરાદાથી હત્યા કરાઈ છે , મૃતક આણંદના વિદ્યાનગરના રહીશ છે. અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લોકવિલમાં આ ઘટના બની હતી. અમેરિકાના બ્લેકવિલમાં સ્ટોર ધરાવતાં વિદ્યાનગરના રહીશ પર ગોળીબાર કરીને હત્યા કરીને લૂંટ ચલાવીને ભાગી ગયાં હતાં. જે બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 8 મી સપ્ટેમ્બરે અશ્વિન પટેલ નામના ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અશ્વિન પટેલ છેલ્લા 30 વર્ષથી અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં સ્થાઈ થયા હતા. તેમનો પરિવાર પણ ત્યા જ રહે છે. તેઓ આ જ વિસ્તારમાં પોતાનો કન્વીનિયન સ્ટોર ધરાવતા હતા. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ ગ્રાહકના સ્વાંગમાં કેટલાક અશ્વેત લૂંટારુંઓ તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા. જેઓએ લૂંટના ઇરાદે તેમની હત્યા કરી હતી. અશ્વિનભાઈ મૂળ વિદ્યાનગરના નર્મદાવાસમાં રહેતા હતા.

(9:38 am IST)