Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

''આનું નામ શ્રધ્ધા'': ભારતના સુપ્રસિધ્ધ તિરૂપતિ બાલાજી મંદિરને ૨ NRIનું ૧૪ કરોડ રૂપિયાનું દાનઃ પોતાનું નામ જાહેર નહીં કરવાની વિનંતી સાથે ૧૪ કરોડ રૂપિયાનો ડ્રાફટ સંચાલકોને આપ્યોઃ જય હો...

તિરૂપતિઃ ભારતના સુપ્રસિધ્ધ તિરૂપતિ બાલાજી મંદિરને ૨ NRI ભકતોએ ૧૪ કરોડ રૂપિયાનું દાન આપ્યુ હોવાનું મંદિરના સંચાલકોએ જણાવ્યું છે.

ગઇકાલ શુક્રવારે પરિવાર સાથે દર્શન કરવા આવેલા આ બે NRI વ્યાવસાયિકોએ પોતાનું નામ પણ જાહેર નહીં કરવાની વિનંતી સાથે ૧૪ કરોડ રૂપિયાનો ડ્રાફટ સંચાલકોને આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઇ માસમાં પણ તેમણે ૧૩.૫ કરોડ  રૂપિયાનું દાન આપ્યું હતું.

(8:44 pm IST)