Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ભારતીયોને ઝટકો : યુ.એ.ઈ.ના રસ્તેથી સાઉદી આરબ અને કુવેત જવા ઉપર પ્રતિબંધ : અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવાસી ભારતીયોને સૂચના આપી : કોવિદ મહામારી હોવાનું કારણ

અબુધાબી : અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવાસી ભારતીયોને સૂચના આપતા જણાવ્યું છે કે  યુ.એ.ઈ.ના રસ્તેથી સાઉદી આરબ અને કુવેત જવા ઉપર પ્રતિબંધ મુકાયેલો છે.જેનું કારણ યુ.એ.ઈ.થી આવતા યાત્રિકોમાં કોરોના વાયરસનું જોખમ હોવાનું જણાવાયું છે.તેથી પ્રવાસે નીકળતા પહેલા ભારતીયોએ કોવિદ -19 ના કારણે થયેલા ટ્રાવેલ નિયમોમાં ફેરફારો જાણ્યા પછી નીકળવું.

દૂતાવાસ દ્વારા વિશેષમાં જણાવ્યા મુજબ પ્રવાસે નીકળતા પહેલા પૂરતા પૈસા તથા ખાવાની વસ્તુઓ સાથે રાખવી.

ઉલ્લેખનીય છે કે અંદાજે 600 જેટલા ભારતીયો કે જેઓ યુ.એ.ઈ.થી સાઉદી અરબ કે કુવેંત જવા માંગતા હતા તેઓ નવી એડ્વાઇઝરીને કારણે યુ.એ.ઈ.માં રોકાઈ જવા મજબુર બન્યા છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:45 pm IST)