Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ઉચ્ચ અભ્યાસ માટે ભારતથી બ્રિટન જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦ ટકા ઘટાડોઃ અભ્યાસ પૂર્ણ થયા પછી વર્ક વીઝા અપાતા નહીં હોવાનું કારણઃ સાંસદ કમિટીએ વિદેશી વિદ્યાર્થીઓને વર્ક વિઝા આપવાની હિમાયત કરી

લંડનઃ બ્રિટનની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં થઇ રહેલા સતત ઘટાડાને ધ્યાને લઇ સંસદ સમૂહએ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ અભ્યાસ પૂર્ણ થયા પછી વર્ક વીઝા અપાતા નહીં હોવાથી ભારતથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા ૮ વર્ષમાં અર્ધી થઇ ગઇ છે. તેથી વિદેશી સ્ટુડન્ટસને અભ્યાસ બાદ વર્ક વીઝા આપવાની હિમાયત કરી છે.

(10:30 pm IST)