Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

યુ.એસ.સ્થિત કોમ્યુનિટી અગ્રણી શ્રી અરુણકુમાર ઠાકરનું દુઃખદ અવસાન : 4 ફેબ્રુ 2019 ના રોજ અંતિમશ્વાસ લીધા : સ્મશાનયાત્રા આજ 9 ફેબ્રુ ના રોજ બપોરે 12 વાગ્યાથી 2-15 કલાક દરમિયાન નોર્થ બર્ગન ન્યુજર્સી મુકામે

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત કોમ્યુનિટી અગ્રણી તથા સેવાભાવી કાર્યકર શ્રી અરુણકુમાર ઠાકરનું 4 ફેબ્રુ 2019 ના રોજ દુઃખદ અવસાન થયું છે.સદ્દગતની સ્મશાનયાત્રા આજ 9 ફેબ્રુ શનિવાર  ના રોજ બપોરે 12 વાગ્યાથી 2-15 કલાક દરમિયાન જોર્જ  રિવેરા  ફ્યુનરલ હોમ INC ,  4543 કેનેડી BLVD  (46 મી સ્ટ્રીટ ) નોર્થ બર્ગન ,ન્યુજર્સી( ટેલિફોન ન.201-861-6899 ) મુકામે રાખેલ છે.

સદગત શ્રી અરુણભાઈનો જન્મ 18 ઓગ 1957 ના રોજ થયો હતો.તેઓ ખુબ માયાળુ સ્વભાવના સેવાભાવી સજ્જન હતા. ગુજરાતી તથા ઈંગ્લીશ બંને ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતા હતા.જેમને સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ વતી શ્રી વીરુ પટેલ સહીત એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સએ  શ્રદ્ધાંજલી પાઠવી છે.તેવું પટેલ પ્રગતિ મંડળની યાદી જણાવે છે.

(12:07 pm IST)