Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

UAE માં 4 માસ પહેલા અવસાન પામેલા ભારતીયનો મૃતદેહ હવે વતન મોકલાયો

દુબઇ : યુ.એ.ઇ.માં 4 માસ પહેલા અવસાન પામેલા ભારતના મધ્યપ્રદેશના વતની 50 વર્ષીય યુસુફખાન રશીદખાન નું 12 એપ્રિલ 2018 ના રોજ અવસાન થયું હતું.પરંતુ આ વ્યક્તિનું સરનામું કે બીજી કોઈ વિગત નહીં મળતા મૃતદેહ મુર્દાગ્રહમાં રાખી મુકાયો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મૃત્યુ સમયે તે નશામાં હતો તથા તેને આત્મહત્યા કરી હતી.4 માસ પછી તેના પરિવારનો પતો લગતા તેનું શબ વતનમાં મોકલી અપાયું હતું

(12:24 pm IST)