Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

''રાજીપો'': અમેરિકાના જયોર્જીયામાં યોજાયેલી ૪ દિવસિય શિબિરમાં જુદા જુદા સ્ટેટમાંથી ૧૬૦ શિબિરાર્થીઓ ઉમટી પડયાઃ પિયુડા ઘનશ્યામ મહારાજના આશિર્વાદ સાથે તથા પૂજ્ય ગુરૃજીના માર્ગદર્શન હેઠળ યોજાઇ ગયેલી શિબિરમાં વિવિધ ધાર્મિક, તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં મેકોન જયોર્જીયા મુકામે લોયાધામ મંદિર, ન્યુજર્સીના ઉપક્રમે યોજાઇ ગયેલી ૪ દિવસિય શિબિર ''રાજીપો''માં અમેરિકાના જુદા જુદા સ્ટેટમાંથી ૧૬૦ ઉપરાંત શિબિરાર્થીઓ આવ્યા હતા.

પિયુડા ઘનશ્યામ મહારાજના આશિર્વાદ તથા પૂજ્ય ગુરૃજી, સંતો, તથા ભકતોના સહયોગથી યોજાયેલ આ શિબિરમાં શ્રીજી મહારાજના વચનામૃત મુજબ જીવન જીવી રાજીપો મેળવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. પૂજય ગુરૃજીની ઉપસ્થિતિ તમામ માટે પ્રેરણામય બની રહી હતી.

વિશેષમાં લોયાધામ ન્યુજર્સી મુકામે યોજાનારા ''વિન્ટર વર્કશોપ ૨૦૧૮'' માટે ટુંક સમયમાં રજીસ્ટ્રેશન ચાલુ થશે. તેમ જણાવાયું છે.

(12:00 am IST)