Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

બ્રિટનમાં કોવિદ -19 ને કારણે સર્જાયેલી બેરોજગારી દૂર કરવા સરકારનું ક્રાંતિકારી પગલું : કર્મચારીને નોકરી ઉપર ફરીથી હાજર કરનાર કંપનીઓને સરકાર કર્મચારી દીઠ એક હજાર પાઉન્ડ આપશે : ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી રિશી સુનકની ઘોષણાં

લંડન : બ્રિટનમાં કોવિદ -19 ને કારણે સર્જાયેલી બેરોજગારી દૂર કરવા સરકારે ક્રાંતિકારી પગલું ભર્યું છે.જે મુજબ કોવિદ -19 દરમિયાન રજા ઉપર ઉતરેલા કર્મચારીને નોકરી ઉપર ફરીથી હાજર કરનાર કંપનીઓને સરકાર  કર્મચારી દીઠ એક હજાર પાઉન્ડ આપશે તેવી ઘોષણાં  ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી રિશી સુનકે પાર્લામેન્ટમાં કરી હતી.
શ્રી સુનકે જણાવ્યું હતું કે સરકારનો હેતુ બેરોજગારી દૂર કરવાનો છે.આ યોજનાથી 9 મિલિયન લોકોને નોકરી મળશે તેમજ પ્રાઇવેટ સેક્ટરના ત્રીજા ભાગના લોકોને પણ રોજગારી મળવાનું શરૂ થઇ જશે.

(8:46 pm IST)