Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ન્યુયોર્કમાં કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા તરીકે શ્રી રણધીર કુમાર જયસ્વાલની નિમણુંક : વર્તમાન કોન્સ્યુલ શ્રી સંદીપ ચક્રવર્તીની દિલ્હી મુકામે બદલી થતા તેમનું સ્થાન લેશે

ન્યુદિલ્હી : યુ.એસ.ના ન્યુયોર્કમાં  કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા તરીકે રાજદૂત શ્રી રણધીર કુમાર જયસ્વાલની નિમણુંક થઇ છે.તેઓ વર્તમાન કોન્સ્યુલ શ્રી સંદીપ ચક્રવર્તીની દિલ્હી ખાતે બદલી થતા તેમનું સ્થાન લેશે.
શ્રી જયસ્વાલ હાલમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં જોઈન્ટ સેક્રેટરી કમ સોશિઅલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે.તેઓ ત્રણ સપ્તાહમાં ચાર્જ સંભાળી લ્યે તેવી શક્યતા છે.
1998 ની સાલના ઇન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસર રાષ્ટ્રપતિ ભવનમાં વિદેશી બાબતોના વિભાગમાં હેડ તરીકે સેવાઓ આપી રહ્યા છે.તથા રાષ્ટ્રપતિને વિદેશ નીતિ અંગે સલાહ સૂચન આપવાનું કામ સંભાળી રહ્યા છે.તેઓ સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગ મુકામે કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.

(8:50 am IST)