Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓના ફતવા સામે ઝૂકી ગઈ ઇમરાન સરકાર : ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરના નિર્માણ ઉપર રોક

ઇસ્લામાબાદ : હજુ થોડા દિવસ પહેલા પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સૌપ્રથમ કૃષ્ણ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરાયું હતું.તથા તે માટે 10 કરોડ રૂપિયા આપવાની ઘોષણા ઇમરાન સરકારે કરી હતી.

પરંતુ પાકિસ્તાનની કટ્ટર મુસ્લિમ સંસ્થાઓએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને ઇસ્લામમાં લઘુમતી કોમ માટે મંદિર કે ચર્ચ બાંધવાની પરવાનગી નથી તેવું જાહેર કરતો ફતવો બહાર પડ્યો હતો.

આ કટ્ટર પંથીઓની ઉગ્રતા સામે ઇમરાન સરકારે પારોઠના પગલાં ભર્યા છે.તથા હાલની તકે મંદિરનું બાંધકામ અટકાવી દીધું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:05 pm IST)