Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

આફ્રિકાના જ્હોનિસબર્ગમાં મહાત્મા ગાંધીના 150 મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે વૃક્ષારોપણ : ભારતીય રાજદૂત ડો.કે.જે.શ્રીનિવાસનના નેતૃત્વ હેઠળ સેંકડો છોડનું વાવેતર કરાયું

જ્હોનિસબર્ગ : રોડની બંને બાજુએ વિશાળ સંખ્યામાં વૃક્ષો માટે સુવિખ્યાત જ્હોનિસબર્ગ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં મહાત્મા ગાંધીના 150 મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે ગઈકાલ રવિવારે વૃક્ષારોપણ કરાયું હતું જે અંતર્ગત ભારતના રાજદૂત ડો.કે.જે.શ્રીનિવાસનના  નેતૃત્વ હેઠળ સેંકડો છોડનું વાવેતર કરાયું હતું

તકે તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના 150 મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે દરેક શહેરોમાં 200 વૃક્ષો વાવવાનું ભારત સરકારનું આયોજન છે.જેના અનુસંધાને અમલ કરવામાં આવ્યો છે.

(12:00 am IST)