Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

‘‘વિન્‍ટર વર્કશોપ ૨૦૧૮'': યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ મંદિર લોયાધામ ન્‍યુજર્સીના ઉપક્રમે ૨૭ ડિસેં.થી ૩૦ ડિસે. દરમિયાન કરાયેલું આયોજનઃ વહેલાસર રજીસ્‍ટ્રેશન કરાવી લેવા મંદિરનો અનુરોધ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ મંદિર, લોયાધામ, ન્‍યુજર્સી મુકામે ૨૭ ડિસેં.થી ૩૦ ડિસેં. દરમિયાન વિન્‍ટર વર્કશોપ ૨૦૧૮નું આયોજન કરાયું છે.

પૂજય શાસ્‍ત્રીશ્રી ઘનશ્‍યામ પ્રકાશદાસજી સ્‍વામીની પ્રેરણા તથા માર્ગદર્શન  હેઠળ યોજાનારા આ વિન્‍ટર વર્કશોપમાં પિયુડા ઘનશ્‍યામ મહારાજ પૂજય ગુરૂજી, તથા સંતોના દર્શનનો લાભ મળશે. આ અગાઉ ગયા વર્ષે એટલે કે ૨૦૧૭ની સાલમાં પણ યોજાયેલા વિન્‍ટર વર્કશોપમાં યુ.એસ.ના જુદા જુદા ૧૨ સ્‍ટેટમાંથી શિબિરાર્થીઓ આવ્‍યા હતા. તથા સત્‍સંગનો લહાવો લીધો હતો. જે આ વર્ષે પણ મેળવવા the swaminarayan.com દ્વારા વહેલાસર રજીસ્‍ટ્રેશન કરાવી લેવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(9:44 pm IST)