Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પાકિસ્તાનના પછાત અને ગરીબ જિલ્લામાં 60 હેન્ડપંપ મુકાવ્યા : UAE માં વસતા ભારતીય મૂળના વ્યવસાયી શ્રી જોગીન્દર સિંહ સલારીયાનું માનવતાવાદી કૃત્ય

ઇસ્લામાબાદ :  UAE માં વસતા ભારતીય મૂળના વ્યવસાયી શ્રી જોગીન્દર સિંહ સલારીયાએ પાકિસ્તાનના પછાત અને ગરીબ જિલ્લામાં 60 હેન્ડપંપ મુકાવી શ્રેષ્ઠ ગણાય તેવું  માનવતાવાદી કૃત્ય કરી બતાવ્યું છે.એક બાજુ પુલવામાં ઘટનાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો તંગ હતા ત્યારે બીજી બાજુ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા થરપારકર જિલ્લાના ગરીબ અને પછાત વિસ્તારોમાં ભારતીય મૂળના વ્યવસાયી દ્વારા  60  હેન્ડ પંપ મુકાવવાનું કાર્ય ચાલુ હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:26 pm IST)