Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

કોમ્યુનિટી અગ્રણી શ્રી સુરેશચંદ્ર જાનીના દેહાવસાનથી સમગ્ર લોસ એન્જલ્સ સ્થિત ગુજરાતી તથા ભારતીય પરિવારો શોકમાં ગરકાવ : OFBJP યુ.એસ.એ. તેમજ આઇના જેવી વિશાળ સંસ્થાઓએ પથદર્શક ગુમાવ્યાના અફસોસ સાથે સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના

લોસ એંજલસ :આદરણીય શ્રી સુરેશચંદ્ર જાનીના દેહાવસાનના સમાચારથી સમગ્ર લોસ એન્જલસનાગુજરાતી તેમજ ભારતીય સમુદાયમાં આઘાત તથા ઘેરા શોકની લાગણી પ્રર્વતિ છે.
તેમના વિશાળ ચાહક વર્ગ તરફથી ઊંડા દુઃખ સાથે સાદર શ્રધાંજલિ પાઠવવામાંઆવે છે.. સ્વર્ગસ્થના માર્ગદર્શન નીચે અનેક સંસ્થાઓએ પ્રગતિના સોપાન સર કર્યા હતાં.. OF BJP-USA.આઈના જેવી વિશાળ સંસ્થાઓએ  એક પથદર્શક ગુમાવવાનો અફસોસ રહેશે....
             લોસએન્જલસના સમગ્ર ભારતીય સમાજ અને ગુજરાતી સમાજને તેમની ખોટ સદાય સાલશે. લોસ એન્જલસના ગુજરાત દર્પણ,ગુજરાત ટાઈમ્સ,ગુજરાતી સિનિયર ફ્રેંડ સર્કલ ( GSFC )ના સૌ સભ્યો તરફથી તેમના કુટુંબીજનોને આશ્વાસન પાઠવે છે. હર્ષદભાઈ શાહ, કાન્તિભાઈ મિસ્ત્રી,નટુભાઈ પટેલ, ગુણવંતભાઈ પટેલ,મહેન્દ્રપૂરી ગોસ્વામી,જીતુભાઈ પટેલ, જીતુભાઈ ભાવસાર,તથા સુભાષભાઈ ભટ્ટ તેમને સાદર શ્રધાંજલિ પાઠવે છે. પરમ ક્રુપાળુ પરમાત્મા સદ્દગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કર્યાનું શ્રી કાંતિલાલ મિસ્ત્રીની યાદી જણાવે છે.

(1:20 pm IST)