Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ભારતથી પાકિસ્તાન જઈ વસવાટ કરવા એકપણ ભારતીય રાજી નથી : પાકિસ્તાન સિવાય દુનિયાના કોઈ પણ દેશમાં જાવ ત્યાં રોજી રોટી રળવા ગયેલા ભારતીયો જોવા મળશે : દુનિયાના 208 જેટલા દેશોમાં વસવાટ માટે ગયેલા ભારતીયોની સંખ્યા અધધ.....1 કરોડ ,36 લાખ 20 હજાર : લોકસભામાં વિદેશ રાજ્યમંત્રી મુરલીધરનએ આપેલી માહિતી

ન્યુદિલ્હી : તાજેતરમાં લોકસભામાં વિદેશ રાજ્યમંત્રી મુરલીધરનએ આપેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં જઈ વસવાટ કરવા એકપણ ભારતીય રાજી નથી.આ સિવાયના  દુનિયાના 208 જેટલા દેશોમાં વસવાટ માટે ગયેલા ભારતીયોની સંખ્યા અધધ.....1 કરોડ ,36 લાખ 20 હજાર જેટલી થવા જાય છે

ભારતીય વિદેશ મંત્રાલયે લોકસભા સાંસદ  પ્રસૂન બેનર્જી દ્વારા  વિદેશ મંત્રાલયને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે ભારતીય મિશન સાથે જોડાયેલા આંકડા પ્રમાણે લગભગ 1,36 ,20,000 લોકો દેશની બહાર રહે છે. વિદેશ મંત્રાલયે દેશ પ્રમાણે આંકડા જાહેર કર્યા છે જેમાં વિશ્વના 208 દેશોમાં રહેતા ભારતીય લોકોની સંખ્યા બતાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:03 pm IST)