Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

સાઉથ આફ્રિકામાં યોજાયેલી " ગાંધી મંડેલા શાંતિ પદયાત્રા " સંપન્ન : 1200 કી.મી.ની પદયાત્રા દરમિયાન અશ્વેત સમૂહનો ઉમળકાભર્યો આવકાર મળ્યો

જોહનિસબર્ગ : સાઉથ આફ્રિકામાં મહાત્મા ગાંધીના  150 માં જન્મજયંતિ વર્ષની તથા નેલ્સન મંડેલાના 100 માં જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે " ગાંધી મંડેલા શાંતિ પદયાત્રા " આયોજન કરાયું હતું

  21 સપ્ટેમ્બર 2018 ના રોજ શરૂ કરાયેલી આ વિશ્વશાંતિ માટેની 1200 કી.મી.ની પદયાત્રાની સલામતી માટે ભારે ચિંતા વ્યક્ત કરાતી  હતી પરંતુ શુક્રવારે હેમખેમ પૂર્ણ થયેલી આ પદયાત્રાને અશ્વેત સમૂહ દ્વારા પણ ભારે આવકાર મળ્યો હતો.

 આ યાત્રામાં ભારતના પુનાથી શ્રી નીતિન સોનવણે ,શ્રી યોગેશ મથુરીયા ,શ્રી સંગ્રામ પાટીલ,તથા શ્રી દિલીપ તંબોલકર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:15 pm IST)