Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

" ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય " વિષય ઉપર અમેરિકામાં યોજાઈ ગયેલો પરિસંવાદ : ઇન્ડિયન મુસ્લિમ પરિષદ આયોજિત સેમિનારમાં નરેન્દ્ર મોદીને કટ્ટર હિન્દુત્વવાદી ગણાવાયા : મુસ્લિમ તથા ઈસાઈ સમૂહ ઉપર આચરાઈ રહેલી હિંસા માટે ચિંતા વ્યક્ત કરાઈ

કેપિટલ હિલ : અમરિકામાં  ઇન્ડિયન મુસ્લિમ પરિષદના ઉપક્રમે  " ગુરુવારના રોજ ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય " વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરાયું હતું જેમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને કટ્ટર હિન્દુત્વવાદી ગણાવાયા  હતા તથા ભારતમાં મુસ્લિમ તેમજ ઈસાઈ સમૂહ ઉપર આચરાઈ રહેલી હિંસા માટે વિરોધ વ્યક્ત કરાયો હતો તેમજ જણાવાયું હતું કે લઘુમતી કોમ ઉપર હિંસા આચરતા લોકો ઉપર સખ્તાઈથી કામ લેવું જોઈએ

  આ પરિષદમાં  આંતરરાષ્ટીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રતિનિધિઓ ,સાંસદો તેમજ કોમ્યુનિટી અગ્રણીઓએ ભાગ લીધો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:38 pm IST)