Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ભારત આવેલા વિદેશીઓના વિઝાની મુદતમાં 30 દિવસનો વધારો : આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ હોવાથી કોઈપણ જાતની ફી લીધા વિના વિઝાની મુદત વધારી આપી

ન્યુદિલ્હી : વર્તમાન કોરોના વાઇરસને કારણે બંધ કરાયેલી આંતર રાષ્ટ્રીય ઉડાનોને કારણે ભારત સરકારે વિદેશથી આવેલા નાગરિકોના વિઝાની મુદતમાં કોઈપણ જાતની ફી લીધા વિના 30 દિવસનો વધારો કરી આપ્યો છે.
ઉપરાંત ઓસીઆઈ કાર્ડધારકો માટે પણ હાલની તકે વતનમાં રહેવું હોય ત્યાં સુધી રહેવાની છૂટ આપી છે.
આગામી દિવસોમાં વિદેશ જતી હવાઈ સેવાઓ ચાલુ થયા પછી હાલના ઓર્ડરમાં ફેરફાર કરશે તેમ જણાવાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)