Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

શ્રીલંકામાં આતંકવાદનો ભોગ બનેલા નિર્દોષ લોકોને પટેલ પ્રગતિ મંડળ ન્યુજર્સીની શ્રધ્ધાંજલીઃ ૩૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ યોજાયેલી પ્રાર્થના સભામાં મૃતકોના પરિવારજનો માટે ફંડ ભેગુ કરવાનું આયોજન કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : યુ.એસ.માં પટેલ પ્રગતિ મંડળના ઉપક્રમે ન્યુજર્સીમાં ૩૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ શ્રીલંકામાં આતંકવાદનો ભોગ બનેલા લોકોને શ્રધ્ધાંજલી આપવા પ્રાર્થનાસભાનું આયોજન કરાયુ હતું.

રોયલ આલ્બર્ટ પેલેસ ફોર્ડસ ન્યુજર્સી મુકામે સાંજે ૬.૩૦ કલાકે યોજાયેલી પ્રાર્થનાસભામાં શ્રીલંકામાં ૨૧ એપ્રિલના રોજ આતંકવાદનો ભોગ બનેલા નિર્દોષ લોકોને શ્રધ્ધાંજલી અપાઇ હતી તથા મૃતકોના પરિવારજનો માટે ફંડ ભેગુ કરવાનું પણ આયોજન કરાયુ હતું. તથા કેન્ડલ લાઇટ સાથે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઇ હતી તથા તેઓના પરિવારજનોને સાંત્વના પાઠવાઇ હતી.

આ તકે શ્રી આલ્બર્ટ જસાણી તથા રોયલ આલ્બર્ટ પેલેસના સહકાર બદલ પણ આભાર વ્યકત કરાયો હતો. તેવું ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી ઓફ નોર્થ અમેરિકા ટીમ વતી શ્રી વીરૂ પટેલની યાદી જણાવે છે.

 

(7:15 pm IST)