Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

વિદેશોમાં ફસાયેલા પોતાના 22 હજાર જેટલા નાગરિકોને એરલિફ્ટ કરશે અમેરિકા : મોટા ભાગના ભારતમાં

વોશિંગટન : કોરોના વાઇરસને કારણે વિદેશોમાં ફસાયેલા પોતાના 22 હજાર જેટલા નાગરિકોને વતનમાં પાછા લાવવા એરલિફ્ટ કરવાનો અમેરિકાએ નિર્ણય કર્યો છે.તેવું વિદેશી દૂતાવાસ વિભાગના મંત્રાલય દ્વારા શુક્રવારે જણાવાયું છે
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 37 હજાર જેટલા નાગરિકોને વિદેશોમાંથી એરલિફ્ટ કરી લેવાયા છે.અને હજુ પણ 22 હજાર જેટલા નાગરિકો વિદેશોમાં ફસાયેલા છે.જેમાં મોટા ભાગના ભારતમાં છે.તેઓને એરલિફ્ટ કરવાનો નિર્ણય કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:55 pm IST)