Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

પાકિસ્તાનના નનકાના સાહેબ રેલવે સ્ટેશનનું નામ ' ગુરુ નાનકદેવ ' ના નામ સાથે જોડવામાં આવશે : રેલ મંત્રી શેખ રસીદની ઘોષણાં

ઇસ્લામાબાદ : તાજેતરમાં પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રસીદએ નનકાના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

પ્રસંગે તેમણે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનનું નામ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવના નામ સાથે જોડવામાં આવશે

ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસમાં ઉજવાનારી ગુરુ નાનકદેવની 550 મી જન્મજયંતિ પ્રસંગે સમગ્ર વિશ્વમાંથી શીખો પાકિસ્તાનમાં ઉમટી પડશે તેવા સંજોગોમાં પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ઉપરોક્ત સ્ટેશનને ગુરુ નાનકદેવના નામ સાથે જોડી દઈ દેશનું શ્રેષ્ઠ રેલવે સ્ટેશન બનાવશે તેમ જણાવ્યું હતું

(12:00 am IST)