Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

દુબઇ જતા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર : હવે દુબઈના તમામ એરપોર્ટ તથા ડ્યુટી ફ્રી શોપ ઉપર રૂપિયામાં લેવડદેવડ થઇ શકશે : ડોલર કે દિરહામ ખરીદવા નહીં પડે

દુબઇ : યુ.એ.ઈ.ના નામાંકિત અખબારમાં પ્રસિધ્ધ થયેલા સમાચાર મુજબ હવેથી દુબઇ જતા ભારતીય પ્રવાસીઓ દુબઈના તમામ એરપોર્ટ તથા ડ્યુટી ફ્રી શોપ ઉપર રૂપિયામાં લેવડદેવડ કરી શકશે અત્યાર સુધી ફરજીયાત તેમણે રૂપિયાના બદલામાં ડોલર કે દિરહામ ખરીદવા પડતા હતા તેથી ભોગવવા  પડતા  નુકશાનથી  હવે તેઓ મુક્ત થશે

ઉલ્લેખનીય છે કે દુબઈના એરપોર્ટ ઉપરથી વર્ષ દરમિયાન 9 કરોડ જેટલા યાત્રિકો પસાર થાય છે.જેમાં 1 કરોડ 22 લાખ જેટલા ભારતીય પ્રવાસીઓ હોય છે.જેમની સુવિધા માટે ઉપરોક્ત નિર્ણય લેવાયો છે.વિદેશી ચલણને માન્યતા મળી હોય તેવો ભારત 16 મો દેશ છે.

(12:22 pm IST)