Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

દામનગર દાતા -નગરપત્તિ સુરેશચંદ્ર મહેતાના મોટાભાઈ નિવૃત ડેપ્યુટી : કલેકટર યોગેશભાઈ જગન્નાથભાઈ મહેતાનું અમેરિકામાં અવસાન: 5મીએ દામનગરમાં પ્રાર્થના સભા

>દામનગર  માજી નગરપતિ દાતા સુરેશભાઈ મહેતા પરિવાર ના મોટાભાઈ  નિવૃત ડેપ્યુટી કલેકટર  યોગેન્દ્રભાઈ જન્નગાથભાઈ મહેતા(ઉવ ૭૮ )નું તા૨૬ના રોજ અમેરિકા ખાતે અવસાન થયેલ છે
  સ્વ યોગેન્દ્રભાઈ મહેતા સને ૧૯૬૨ માં અમરેલી જિલ્લા કલેકટર કચેરી માં મહેસુલી કારકુન તરીકે નોકરીમાં જોડાયા અને અમરેલી લાઠી અને અમરેલી કલેકટર કચેરીમાં નાયબ મામલદાર તરીકે ખૂબ સારી કામગીરી ફરજ પાલનથી અમરેલી કલેકટર કચેરીએથી ડેપ્યુટેશન પર ગુજરાત મહેસુલી પંચ તેમજ સચિવ મહેસુલ વિભાગ (વિવાદ ) માં ઘણા વર્ષો નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી હતી
  ગુજરાતમાં કુદરતી આફત સમયે રાહતના કાર્યોનું સુંદર સંકલન કરનાર મહેસુલની સમિતિમાં સારી કામગીરી કરતા નાયબ કલેકટર તરીકે પ્રમોશન મેળવી વય મર્યાદા નિવૃત થઈ અમેરિકા સ્થાયી થયેલ દામનગર નો નામ રોશન કરેલ હતું
 ફરજ પાલનના હિમાયતી વતન પ્રેમી સ્વ યોગેન્દ્રભાઈ જગન્નાથભાઈ મહેતા (યોગેશભાઈ ) ની પ્રાર્થના સભા તા૫/૭/૨૦૧૯ ના સાંજે ૫- થી ૬- કલાકે સુમન ભવન બ્રહ્મસમાજ વાડી દામનગર ખાતે રાખવા માં આવેલ છે તેવો ગુજરાત હાઈકોર્ટ ના એ જી પી મનન મહેતા ના બાપુજી થાય છે વતન પ્રેમી દાતા માજી નગર પતિ  સુરેશચંદ્ર જગન્નાથભાઈ મહેતા પરિવાર ના મોભી સ્વ યોગેશભાઈ મહેતા નોકરીના વર્ષો દરમ્યાન સારી કામગીરી કરી તેની નોંધ સરકાર માં લેવાય સમસ્ત દામનગર નું નામ રોશન કરનાર સ્વ યોગેશભાઈ મહેતા ખૂબ બહોળો મિત્ર વર્તુળ ધરાવતા હતા

(9:10 pm IST)