Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

સિંગાપોરમાં ૧૪૮ વર્ષ જુના શ્રીકૃષ્‍ણ મંદિરનો પુનરોધ્‍ધારઃ ગઇકાલ ૩ જુન ૨૦૧૮ થી શરૂ કરાયેલા પુજા પાઠ ૪૮ દિવસ સુધી ચાલશેઃ

સિંગાપોરઃ સિંગાપોરની વોટરલૂ સ્‍ટ્રીટમાં ૧૮૭૦ની સાલમાં સ્‍થપાયેલા ‘‘શ્રી કૃષ્‍ણ મંદિરનો પુનરોધ્‍ધાર કરાયો છે. જયાં ૧૪૮ વર્ષ પછી ફરીથી નિત્‍ય પૂજાપાઠ શરૂ કરાયા છે.

ગઇકાલ રવિવારથી શરૂ કરાયેલા પૂજાપાઠ પ્રસંગે ૧૦ હજાર ઉપરાંત ભાવિકો હાજર રહ્યા હતા. જે માટે ભારતથી ખાસ પૂજારીઓને મોકલાયા હતા. આ પૂજા વિધિ ૪૮ દિવસ સુધી ચાલશે.

આ મંદિરનો યુનરોધ્‍ધાર કરવાનું કાર્ય ૨૦૧૪ની સાલથી શરૂ કરાયું હતું. જે ૪ વર્ષ બાદ હવે ૨૦૧૮ની સાલથી પુનઃશરૂ થતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:19 am IST)