Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

પાકિસ્તાનના હિન્દૂ મંદિરમાં તોડફોડ થવાથી સરકાર નવું મંદિર બંધાવી આપશે : ખૈબર પખ્તુનખા રાજ્યના મુખ્યમંત્રી મહેમુદ ખાનની ઘોષણાં : નિર્માણ પામી રહેલા મંદિરમાં તોડફોડ કરી આગ લગાડનારા 45 આરોપીઓની ધરપકડ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા રાજ્યમાં સરકારની મંજૂરી મેળવ્યા પછી બંધાઈ રહેલા હિન્દૂ મંદિરમાં કટ્ટરવાદી મુસ્લિમોએ આગ લગાડી તોડફોડ કરી હતી.

આથી રાજ્યના મુખયમંતી મહેમુદ ખાને જણાવ્યું હતું કે સરકાર આ મંદિર બંધાવી આપશે.તેમજ તોડફોડ કરનારાઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે બુધવારે અમુક કટ્ટરપંથીઓએ ઉપરોક્ત કૃત્ય કર્યું હતું જેના માનવ અધિકાર પંચ સહીત દેશ વિદેશોમાં ઘેરા પડઘા પડ્યા હતા.જેના અનુસંધાને 45 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમાંના મોટા ભાગના જમિયત ઉલેમા એ ઇસ્લામના સભ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)