Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

''ભૂખ્યો બાળક અભ્યાસ કરી શકે નહીં': ભારતના ૧૨ રાજયોની સ્કૂલોના ૧.૭૬ મિલીયન સ્ટુડન્ટસને મધ્યાહન ભોજન પુરૂ પાડતુ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ''અક્ષયપાત્ર': ૨૯ સપ્ટેં.ના રોજ કેલિફોર્નિયામાં ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો

કેલિફોર્નિયાઃ ભારતના ૧૨ રાજયોની સ્કૂલોના ૧.૭૬ મિલીયન બાળકોને સપ્તાહના ૬ દિવસ એટલે કે સોમવારથી શનિવાર દરમિયાન પોષ્ટિક મધ્યાહન ભોજન પુરૂ પાડતા ''અક્ષયપાત્ર''ના ઉપક્રમે ૨૯ સપ્ટેં.૨૦૧૯ના રોજ બે એરીયા ચેપ્ટરના ઉપક્રમે હયાત રીજન્સી કેલિફોર્નિયા ખાતે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ઉપસ્થિત અગ્રણીઓએ મધ્યાહન ભોજનનું મહત્વ સમજાવતા જણાંવ્યું હતું કે ભૂખ્યો બાળક શિક્ષિત થઇ શકે નહીં તેથી ૨૦૨૫ની સાલ સુધીમાં પાંચ મિલીયન બાળકોને પોષ્ટિક મધ્યાહન ભોજન પુરૂ પાડવાની નેમ છે.

આ તકે અક્ષયપાત્ર ફાઉન્ડેશન USAના બોર્ડ ચેરમેન ઇન્ડિયન અમેરિકન શ્રી ગુરૂરાજ દેશ દેશપાંડે, શ્રી શિવા શિવરામ, શ્રી નવિન ચઢા, સુશ્રી વંદના તિલક, શ્રી ચેત કપૂર અભિનેતા અનુપમ ખેર, શ્રી નરેશ સોલંકી, શ્રી રાજેશ શાહ, કોમેડીઅન પાઉલ વર્ગીસ, સુશ્રી વાણી જયરામ સહિતના મહાનુભાવોએ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

(11:23 am IST)