Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના સંતો ચીનની મુલાકાતે : બેજિંગમાં આવેલા ગુઆંગજી મંદિરમાં ભારત અને ચીનના ઇતિહાસ,સંસ્કૃતિ,અને આધ્યાત્મિક સબંધો વિષે ચર્ચાઓ કરી

બેજિંગઃ તાજેતરમાં 22 સપ્ટે ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના સ્વામી પૂજ્ય બ્રહ્મવિહારદાસજી તથા 10 સંતોએ ચીનની મુલાકાત લીધી હતી.જ્યાં બેજિંગમાં આવેલા ગુઆંગજી મંદિરમાં  બુદ્ધિસ્ટ એશોશિએશનના હેડ સાથે ભારત અને ચીન વચ્ચેનો જૂનો નાતો તથા આધ્યાત્મિક સબંધો,તેમજ બંને દેશોનો ઇતિહાસ,અને સંસ્કૃતિ વિષયક ચર્ચાઓ કરી હતી.તથા વિશ્વ શાંતિ માટે તમામે પ્રાર્થના કરી હતી.

આ તકે ભારતીય દૂતાવાસના અધિકારીઓ,સરકારી પ્રતિનિધિઓ,તેમજ અગ્રણીઓએ હાજરી આપી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)