Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

" જીના યહાં મરનાં યહાં " : વૃંદાવન ઋષિકેશમાં રહેતા વિદેશી નાગરિકોએ વિઝાની મુદત લંબાવી આપવા ભારત સરકારને વિનંતી કરી : શેષ જીવન ભારતની પુણ્યભૂમિમાં ગાળવા ઈચ્છા વ્યક્ત કરી

ન્યુદિલ્હી : છેલ્લા 5-7 વર્ષથી વૃંદાવન ઋષિકેશમાં રહેતા અને ઇસ્કોન સહિતના મંદિરોમાં પ્રભુ ભજન કરતા અમેરિકા ,ઓસ્ટ્રેલિયા ,સહિતના દેશોમાંથી આવેલા સિનિયરોને વિઝાની મુદત પુરી થવામાં હોવાથી તેઓએ આ મુદત લંબાવી આપવા ભારત સરકારને વિનંતી કરી છે.
આ સિનિયરોને જણાવ્યા મુજબ તેઓ વર્તમાન કોરોના વાઇરસના કહેર વચ્ચે પોતાના વતનમાં જવા માંગતા નથી.અને બાકીનું જીવન હવે ભારતની પુણ્યભૂમિમાં વિતાવવા માંગે છે.તેમ જણાવ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:12 pm IST)