Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

માતાના મૃત્‍યુના સમાચાર મળતા હાર્ટએટેકથી મોતઃ UAE માં સ્‍થાયી થયેલો ભારતીય મૂળનો યુવક માતાની સ્‍મશાનયાત્રામાં જવા માટે નીકળવાનો હતો તેને બદલે હવે તેનો મૃતદેહ કેરાળા પહોંચશે

દુબઇઃ છેલ્લા ૨૦ વર્ષથી UAEમાં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના કેરાવાના વતની અનિલકુમાર ગોપીનાથનને ૨૧ ડિસેં. ૨૦૧૭ના રોજ તેની માતા કૌશલ્‍યાના અવસાનના સમાચાર મળતા તેનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તેનો ભાઇ પણ UAEમાં રહે છે. જે ભારત જવા રવાના થયા બાદ બીજા દિવસે મૃતક યુવાન પણ જવાનો હતો. પરંતુ તેને એટેક આવતા હવે તેનો મૃતદેહ વળતમાં પહોંચશે. તે દરજીકામ કરતો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:05 pm IST)