Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બિહારના કટિહારમાં મોટી બોટ દુર્ઘટનાઃ 40 લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી:ત્રણ લોકોના મૃતદેહ મળ્યા

બોટમાં બંગાળના બાજિતપુરથી બિહરમાં ડમડોલિયા આવતી હતી: રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

 

બિહારના કટિહારમાં સાંજે એક મોટી બોટ દુર્ઘટના સર્જાઇ છે મહાનંદા નદીમાં 40 લોકોથી ભરેલી એક બોટ પલટી ગઇ હતી ઘટનામાં 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મહાનંદાની સહાયક નદીમાં દુર્ઘટના બની છે. બોટમાં 40 લોકો સવાર હતા. બોટ પશ્વિમ બંગાળના બાજિતપુરથી બિહારના આબાદપુર વિસ્તારના ડમડોલિયા આવી રહી હતી. ડમડોલિયા અને બાજિતપુર વચ્ચે દુર્ઘટના બની છે.
અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા હોવાની માહિતી છે. બિહારના બારસોઈ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. સાથે એસડીએમ અને ડીએમ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે

દુર્ઘટના સાંજે 7 વાગ્યાની છે જેમાં મુસાફરોથી ભરેલી બોટ દુર્ઘટનાનો શિકાર બની છે. બોટ બંગાળના જગન્નાથપુર ઘાટથી રવાના થઇ હતી.

(12:08 am IST)