Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મ્યાનમારમાં વિદેશી પ્રવાસીઓ માટે લાલ જાજમ : ભારત તથા ચીનના પ્રવાસીઓ માટે' વિઝા ઓન એરાઇવલ સ્કીમ' ની મુદતમાં એક વર્ષનો વધારો : જાપાન તથા સાઉથ કોરીયાના પ્રવાસીઓ માટે વિઝા એક્ઝામ્પશન સ્કીમ 30 સપ્ટેમ્બર 2020 સુધી ચાલુ રખાશે

મ્યાનમાર : મ્યાનમાર સરકારે હોટલ તથા ટુરિઝમ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે વિઝા ઓન એરાઇવલ સ્કીમ માં એક વર્ષનો વધારો કર્યો છે.જે સ્કીમમાં ભારત તથા ચીનના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.જયારે જાપાન તથા સાઉથ કોરિયાના પ્રવાસીઓ માટેની વિઝા  એક્ઝામ્પશન સ્કીમ 30 સપ્ટેમ્બર 2020 સુધી ચાલુ ચાલુ રાખવાનું નક્કી કરાયું છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)