Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ચીન સાથેના સંઘર્ષમાં જાપાન ભારત સાથે : જાપાનના ભારત ખાતેના રાજદૂત સંતોષી સુઝુકીએ ચીનની ઘૂસણખોરી ગેરવ્યાજબી ગણાવી : શાંતિપૂર્ણ સમાધાન માટે આશા વ્યક્ત કરી

ન્યુદિલ્હી : ભારત ખાતેના જાપાનના રાજદૂત સંતોષી સુઝુકીએ ભારતના વિદેશ સચિવ એચ.વી.શ્રીગલા સાથે વાતચીત કરી હતી.તથા લડાખ સીમા ઉપર ચીનની એકતરફી ઘુસણખોરીના પ્રયાસની ટીકા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ પ્રયાસ વ્યાજબી નથી.ભારત અને ચીન વચ્ચેના સીમા સંઘર્ષનો પ્રશ્ન શાંતિપૂર્ણ મંત્રણાથી હલ થાય તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.તેવું સમાચા સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:48 pm IST)