Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

''સત્સંગ વિચરણ'': SGVP ગુરૂકુળ USA ના ઉપક્રમે ૪ થી ૭ મે દરમિયાન શિકાગો તથા ૯ થી ૧૧મે ૨૦૧૯ દરમિયાન ન્યુજર્સીમાં કરાયેલું આયોજનઃ પ.પૂ.સદગુરૂ શ્રી બાલક્રિશ્નદાસજી સ્વામી સાથે સત્સંગનો લહાવો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ SGVP ગુરૂકુળ USA ,શ્રી સ્વામિનારાયણ સનાતન ટેમ્પલ સવાન્નાહ, યોગા એજ્યુકેશન, એન્ડ કલ્ચરના ઉપક્રમે શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ USA આયોજીત પ.પૂ.ગુરૂવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શિકાગોમાં ૪મેથી ૭મે ૨૦૧૯ દરમિયાન સંત સતસંગ વિચરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ.પૂ.સદગુરૂ શ્રી બાલક્રિશ્નદાસજી સ્વામી સાથેના સત્સંગનો લાભ મળશે.

વિશેષ વિગત માટે સંત મંડલનો કોન્ટેક નં.+૧ ૯૧૨ ૪૩૮ ૩૧૪૧, અથવા શ્રી અર્જુનભાઇ માલવિયા +૧ ૬૩૦ ૭૦૭ ૫૦૯૬, શ્રી જીતેન્દ્રભાઇ પટેલ +૧ ૭૭૩ ૫૬૨ ૪૭૭૨, શ્રી મનોજભાઇ કામલિયા, +૧ ૬૩૦ ૨૫૪ ૦૭૮૦ અથવા શ્રી ઘનશ્યામ પટેલના કોન્ટેક નં.+૧ ૨૨૪-૪૭૫-૪૧૮૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

બાદમાં ૯મે થી ૧૧મે ૨૦૧૯ દરમિયાન ધ અમેરિકન લિજીઅન પોસ્ટ નં.૨૭૨,૪૮૦ બ્રોડવે,નોર્વુડ ન્યુજર્સી મુકામે પ.પૂ.સદગુરૂ શ્રી બાલક્રિશ્નદાસજી સ્વામીનો સત્સંગ યોજાશે. જે અંગે વિશેષ માહિતિ માટે સંત મંડલના કોન્ટેક નં.+૧ ૯૧૨ ૪૩૮ ૩૧૪૧,નો સંપર્ક સાધવા જણાવાયું છે.

જેમાં સભા પહેલા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવું SGVP ગુરૂકુળ USAની યાદીમાં જણાવાયું છે.

(7:52 pm IST)