Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

''મનનો સ્વભાવ ચંચળ છે, પણ અભ્યાસથી મન સ્થિર થાય છે'': યુ.એસ.ના લોસ એન્જલસમાં શ્રી સંતરામ મંદિર નડિયાદના દિક્ષીત સંત શ્રી હરિદાસ મહારાજશ્રીનું મનનીય ઉદબોધન

લોસ એન્જલસઃ ''મનનો સ્વભાવ ચંચળ છે પણ અભ્યાસથી મન સ્થિર થાય છે'' શ્રી સંતરામ મંદિર, નજિયાદના દિક્ષીત સંત શ્રી હરિદાસ મહારાજશ્રીએ ઉપરોકત વકતવ્ય લોસ એન્જલસના શ્રી સંતરામ ભકત સમાજના મિલન સમારોહમાં પ્રેરણા આપી હતી.

બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી પ્રેરીત તથા પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભ આશિર્વાદ સાથે સૌપ્રથમવાર સંતરામ મંદિરના સંત શ્રી હરિદાસજી મહારાજ અમેરિકાના પ્રવાસે પધારેલ છે. લોસ એન્જલસના સંતરામ ભકત સમાજ દ્વારા તેમની અમૃતવાણીનો લાભ લેવા નોર્વોક સ્થિત શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં સત્સંગ યોજવામાં આવ્યો હતો. સદર મંદિરના શાસ્ત્રીજી શ્રી ભરતભાઇ રાજગોરે તેઓશ્રીના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે સત્સંગનો એક શબ્દ પણ કોઇના જીવનમાં ઉતરી જાય તો તેઓનો આલગે અને પરલોક સુધરી જાય છે.

કાર્યક્રમની શરૂઆતમાં ડો.રશ્મિબેન દ્વારા ફુલહાર અર્પણ કરાવ્યા અને શાલ અર્પણ કરવામાં આવી.

ત્યારબાદ સામુહિક રીતે શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું. તેવું શ્રી કાન્તિભાઇ મિસ્ત્રીના ફોટો સૌજન્ય તથા શ્રી હર્ષદરાય શાહની માહિતી દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)